સુરતના સરથાણામાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા મૂળ અમરેલી જિલ્લાના ત્રણના મોત
શાળાએ એડમિશન લેવા જતા મોટા સસરા,વહુ અને પૌત્રના કરૂણમોત
સુરતના સરથાણા વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક પર શાળામાં એડમિશન માટે જઈ રહેલા ત્રણ લોકો પૈકી મોટા સસરા, વહુ અને તેમના પૌત્ર રોડ ઉપર ફંગોળાતાં આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા માતા-પુત્રને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ માતા-પુત્રને પણ મૃત જાહેર કર્યા હતાં.
અંગે મળતી વિગત મુજબ સુરતનાં રસથાણ વિસ્તારમાં જ યોગીચોક ખાતે આવેલી યોગીદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના વતની લાલજીબાઈ ભગવાનભાઈ રાદડીયા તેમના નાના ભાઈના દીકરાની વહુ અને તેના પુત્રને લઈને શાળામાં એડમિશન માટે બાઈક ઉપર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીકથી પસાર થતાં ડમ્પર નંબર જીજે 05 બીવાય 6862ના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈક ચાલક લાલજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે હેતલબેન વિજય રાદડીયા અને પુત્ર મંત્રને સારવાર માટે 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બન્નેના મોત નીપજ્યાં હતાં.