તારાપુર તાલુકાના જાફરાગંજમાં સવારના સુમારે બે પરિવારો વચ્ચે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:સામસામે હુમલામાં પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત: પોલીસ ફરિયાદ
તારાપુર: તાલુકાના જાફરાગંજ ગામે ગઈકાલે સવારના સુમારે બે પરિવારો વચ્ચે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં મારમારી થતાં પાંચને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે તારાપુર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી ત્રણની ધરપકડ કરી હતી.
રાજેશભાઈ હિંમતભાઈ મકવાણાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ભત્રીજી નેહા ગઈકાલ સવારના પોણા અગિયાર વાગ્યાના સુમારે દુકાને સાબુ લેવા માટે જતી હતી. દરમ્યાન હેતલબેનના ઘર પાસેથી પસાર થતા તેઓએ મારા પતિને જેલમાં પુરાવી દીધો છે, તારા લીધે છુટતો નથી તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. તેનું ઉપરાણું લઈને ભુપતભાઈ મેલાભાઈ રાઠોડ, કેશુભાઈ ભુપતભાઈ રાઠોડ, હિતેશભાઈ લાલજીભાઈ રાઠોડ, ગોવિંદભાઈ ભીખાભાઈ રાઠોડ, નરસિંહભાઈ દેસાઈભાઈ રાઠોડ અને ઈન્દુબેન ભુપતભાઈ રાઠોડ આવી ચઢ્યા હતા અને મહેશ્વરીબેન તથા તૃપ્તીબેનને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.