ડેડીયાપાડામાં એકજ રાતમાં બે મકાનોના તાળા તૂટ્યા : ૧.૭૭ લાખની ચોરીથી ફફડાટ
ચોરોએ રાત્રીના સમયે બે મકાનોના તાળા તોડી તિજોરી તોડી દાગીના,રોકડ રૂપિયા મળી કુલ ૧,૭૭,૦૦૦ ના મુદામાલની ચોરી કરી પલાયન
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એકજ રાતમાં બે મકાનોના તાળા તોડી ચોરો સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ડેડીયાપાડા ખાતે આવેલી નર્મદા નગર તથા અંબાલાલ પાર્ક સોસાયટી માં રહેતા મનોજભાઇ ધનજીભાઇ વસાવા તથા કોમલભાઈ મગનભાઈ જાગાણીના બંધ મકાનમાંથી ગતરાત્રે કોઈ અજાણ્યા ચોરોએ ઘરનું તાળું તોડી અંદરથી સોના,ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂ.૧.૭૭ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેમાં મનોજભાઈ વસાવા ના ઘર માંથી કુલ રૂ.૧,૦૭, ૦૦૦ ની જ્યારે કોમલભાઈ જાગાણી ૭૦,૦૦૦ રૂ.ની ચોરી થઈ હોય આ બાબતે ડેડીયાપાડા પો.સ્ટે.માં ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ ડેડીયાપાડા પીએસઆઇ એસજે. રાઠવા કરી રહ્યા છે