News of Thursday, 7th February 2019
વડોદરામાં જુના પાણીગેટ દરવાજાની હાલત જર્જરિત જોવા મળતા સીસીટીવી કાયમી ધોરણે મુકવાની રજુઆત
વડોદરા: શહેરના ચાર દરવાજા પૈકી વર્ષો જૂનો પાણીગેટ દરવાજા જર્જરિત હાલતમાં થઈ ગયો હતો. જેના સમારકામ બાદ હજી એક વર્ષ પૂર્ણ થયું નથી. ત્યાં તો લગાવવામાં આવેલો કલાત્મક દરવાજો કોઈ ભેજાબાજોએ છૂટો કરીને હટાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ અંગે સ્થાનિક વેપારી આગેવાનોએ પુરાતત્વ વિભાગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી છે. તેમ છતાં દરવાજો લગાડવાની કામગીરી કે પછી સીસીટીવી મૂકવાની કાર્યવાહી કરવામાં આવી નથી.
વડોદરા શહેરની મધ્યમાં આવેલા લહેરીપુરા દરવાજા ચાંપાનેર દરવાજા પાણીગેટ દરવાજા ગેંડીગેટ દરવાજા અને મધ્યમાં આવેલ માંડવી ગેટ વર્ષો જૂના ઐતિહાસિક દરવાજા હોવાથી જર્જરિત હાલતમાં થઈ ગયા હતા.
(5:42 pm IST)