સુરતના અમરોલીમાં લગ્નના બે મહિનામાં પતિએ પરસ્ત્રી સાથે સંબંધ બાંધી પત્નીને શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ
સુરત:અમરોલીમાં લગ્નના માત્ર બે મહિનામાં જ પતિના પરી સાથેના સંબંધની જાણ થઇ જતા આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાએ પતિ અને સાસરિયા વિરૃધ્ધ શારિરીક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાઇ છે.
અમરેલી જિલ્લાના લાલાવદર ગામની રહેવાસા નાજુભાઇ દેવાભાઇ માઘડની પુત્રી દયા (ઉ.વ. 24) ના લગ્ન વર્ષ 2019ના ફેબ્આરી મહિનામાં સુરત સીટી બસમાં કંડકટર તરીકે નોકરી કરતા સુરેશ નટુભાઇ ધાધલ (રહે. ગાયત્રી નગર સોસાયટી, મનમંદિર નજીક, અમરોલી-છાપરાભાઠા રોડ) સાથે થયા હતા. સામાજીક રિવાજ મુજબ લગ્નના એક મહિના બાદ દયા પતિ સાથે અમરોલી ખાતે સાસરે રહેવા આવી હતી. દરમ્યાન એક મહિનામાં જ પતિના પરી સાથે સંબંધ હોવાની જાણ થતા ફોન પર વાતચીત કરી રહેલા પતિને દયાએ ઠપકો આપ્યો હતો. પરંતુ સુરેશે કોઇ પ્રત્યુત્તર આપ્યો ન્હોતો. પરંતુ સુરેશ વારંવાર પરી જોડે ફોન પર વાતચીત કરતો હોવાથી દયાએ આ બાબતનો વિરોધ કરતા સુરેશે તેને માર માર્યો હતો.