રાજપીપળા ન.પા.પુસ્તકાલયના ચેરમેનના પ્રયાસથી ૯૦ હજાર રૂપિયાના પરીક્ષાલક્ષી પુસ્તકો ખરીદતા વાંચકોમાં આનંદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં પોલીસ વિભાગ સહિત અન્ય વિભાગોની ભરતીની તૈયારીઓ યુવાનો દ્વારા થઈ રહી છે જેમાં નર્મદા પોલીસ વડા દ્વારા જીતનગર ખાતે યુવાનો માટે ગ્રાઉન્ડ ખુલ્લું મુકાયું અને અનેક જગ્યાએ આ પરીક્ષા માટે જરૂરી આયોજન થયા છે ત્યારે રાજપીપળા નગર પાલિકા દ્વારા કાર્યરત દરબાર રોડ પર આવેલી લાઇબ્રેરી માં સ્પર્ધાત્મક કસોટીની તૈયારી કરતા લગભગ ૬૦થી ૭૦ વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની તૈયારી માટે પુસ્તકોની જરૂરિયાત હોય એ માટે પુસ્તકાલયના ચેરમેન પ્રગ્નેશ કુમાર રામીને પુસ્તકોની ખરીદી કરવા માટે રજૂઆત કરતા ચેરમેને આ રજૂઆતને ધ્યાન પર લઈ પુસ્તકો ખરીદી કરવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા બાદ 4 ડિસેમ્બરે ૯૦ હજાર રૂપિયાના પુસ્તકોની ખરીદી કરતા પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક કસોટીની તૈયારી કરવા આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.