ભાજપમાં 25 વર્ષથી કાર્યશીલ નુરમહંમદ મન્સુરીની ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચામાં કારોબારી સભ્ય તરીકે નિમણૂંક થતા ખુશી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઘણા મુસ્લિમ બિરાદરો આજે પણ ભાજપ વિચારધારા સાથે સતત બીજેપી સાથે કામ કરતા આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આવા કાર્યકર્તાઓની કદર કરતી હોય જેમાં સતત 25 વર્ષથી ભાજપ સાથે અડીખમ રહેલા અને પાર્ટીના દરેક આદેશોનું પાલન કરતા આવેલા રાજપીપળાના મુસ્લિમ અગ્રણી નુરમહંમદ મનસુરીને ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચામાં કારોબારી સભ્ય તરીકે નિમણૂંક આપતા હર્ષની લાગણી જોવા મળી છે.રાજપીપળાની જાણીતી હોટલના માલીક નુરમહંમદ મનસુરી ની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચામાં કારોબારી સભ્ય તરીકે નિમણૂંક થતા તેમના ટેકેદારો અને મિત્રવર્તુળ માં ભારે ખુશી જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે નુરમહંમદભાઈ મન્સૂરી ભાજપામાં ૧૯૯૭ થી ૨૦૨૧ સુધીમાં જિલ્લા લઘુમતી મોરચામાં મંત્રી,મહામંત્રી પ્રદેશ લઘુમતી મોરચામાં મંત્રી,ત્રણ વખત ઉપ પ્રમુખ તરીકે તેમની સેવા આપી ચુક્યા છે અને હાલ 3 નવેમ્બરે પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા માં કારોબારી સભ્ય તરીકે નિમણૂંક કરી હોય છેલ્લા ૨૫ વર્ષ થી એક ધારી પાર્ટી ની વિચારસરણી માં રહીને કામ કરતા આવ્યા હોવાથી પાર્ટી એ પણ સન્માનિય હોદ્દાઓ આપી તેમની કદર કરતા તેમણે ગુજરાત પ્રદેશ સંગઠન તેમજ નર્મદા જિલ્લા સંગઠન નો આભાર વ્યક્ત કર્યો હતો.