ગુજરાત
News of Friday, 6th December 2019

રાજ્યના ચાર IAS અધિકારીઓની અગ્ર સચિવપદેથી બઢતી આપી મુખ્ય સચિવ બનાવાયા

અમદાવાદ : રાજ્યના 1988 અને 1989 બેચના 4 IAS અધિકારીઓને અગ્ર સચિવ પદેથી બઢતી આપી અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. આ અધિકારીઓને હાલની જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે.

પ્રમોશન આપવામાં આવ્યું છે તે અધિકારીઓમાં અનિતા કરવલ (1988) ચેર પરસન સીબીએસઈ નવી દિલ્હી) સંજય નંદન (1988) એમ ડી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન) અનુરાધા મલ (1988) સીઇઓ, જીએસડીએમએ ગાંધીનગર) અને પંકજ જોશી (1989) અગ્ર સચિવ ઊર્જા) નો સમાવેશ થાય છે

(9:14 pm IST)