ધોળાદિવસે પાલનપુર કેનાલ નજીક ઓમકાર રેસોડેન્સીમાં તસ્કરો ત્રાટકી 23 તોલાના દાગીનાનો કર્યો સફાયો
સુરત : પાલનપુર કેનાલ રોડ સ્થિત ઓમકાર રેસીડેન્સીમાં ગત રોજ ભરદિવસે ત્રાટેકલા તસ્કરો નકુચો તોડી ઘરમાંથી 23 તોલા સોનાના દાગીના સહિત કુલ રૂ. 4.92 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા.પાલનપુરા કેનાલ રોડની બાજુમાં આવેલી ઓમકાર રેસીડેન્સીમાં ગત રોજ ભરદિવસે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો રેસીડેન્સીના ફલેટ નંબર સી/202માં રહેતા નિલેષ નવીનચંદ્ર ટેલરના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરના મેઇન દરવાજાનું તાળું અને નકુચો તોડી ઘરમાં પ્રવેશી બેડરૃમના કબાટનું ડ્રોઅર તોડી તેમાં મુકેલા 23 તોલા વજનના સોનાના દાગીના અને ચાંદીના દાગીના ઉપરાંત રોકડા રૂ. 2 હજારની મત્તા મળી કુલ રૂ. 4.92 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. નિલેશભાઇ પરિવાર સાથે રાત્રે ૮ વાગ્યે પરત આવ્યા ત્યારે ચોરી થઇ હોવાની જાણ થતા તેમણે તુરંત જ પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરી હતી. જેથી અડાજણ પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચોરીની ફરિયાદ નોંધી સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.