આણંદના ચિખોદરની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર વિરોધ સામે ફરિયાદ
નડિયાદ: આણંદ નજીક આવેલા ચીખોદરા ગામે રહેતી સ્નેહાબેન (ઉ. વ. ૧૬ અને ૨ માસની)ને ગત ૩જી તારીખના રોજ રોહિતભાઈ ગોવિંદભાઈ પરમાર લગ્ન કરવાની લાલચ આપને દુષ્કર્મ ગુજારવાના ઈરાદે ભગાડી લઈ ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને સીપીઆઈ આણંદે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ તાલુકાના ચુવા ગામે રહેતી પારૂલબેનના લગ્ન ગત તારીખ ૧૨-૫-૧૩ના રોજ રૂપિયાપુરા ખાતે રહેતા નિલેશભાઈ બુધાભાઈ ઠાકોર સાથે થયા હતા. સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે ત્રણ પુત્રીઓનો જન્મ થયા બાદ પતિ અને સાસુ-સસરા દ્વારા તેણી પર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. દરમ્યાન પતિને પરસ્ત્રી સાથે પ્રેમસંબંધ બંધાતા પરિણીતાએ આ સંબંધો તોડી નાંખવા જણાવ્યું હતુ. પરંતુ પતિએ તેમ કરવાની ના પાડીને તેણી પરના ત્રાસમા વધારો કરી દીધો હતો. ગત ૧૭મી તારીખના રોજ તેણીની સાથે ઝઘડો કરીને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી કાઢી મૂકી હતી. આ અંગે પારૂલબેને પેટલાદ રૂરલ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.