ગુજરાત
News of Friday, 6th December 2019

મુકીમ કરતા સિનિયર અરવિંદ અગ્રવાલ રજા પર ઉતરી ગયા : IAS કક્ષાએ તોળાતી બદલી

ગાંધીનગર, તના. ૬ :  રાજયના આઇ.એ.એસ. કેડરના સૌથી સિનિયર અધિકારી અરવિંદ અગ્રવાલ અચાનક રજા પર ઉતરી ગયાનું બહાર આવતા પાટનગરમાં ચર્ચા જાગી છે.

એવા મેસેજ ફરી રહ્યા છે કે ગુજરાતના નવા સીએસ તરીકે અનિલ મુકીમની વરણી સાથે જ સિનિયોરીટીમાં મુકીમથી આગળ અરવિંદ અગ્રવાલ અચોક્કસ મુદતની રજા પર ઉતર્યા કોઇપણ આગામી સુચના વગર એસીએસ અરવિંદ અગ્રવાલ રજા પર ઉતરતા રાજય સરકાર-આજે તેમનો ટ્રાન્સફર ઓર્ડર આજે કરી શકે છે. બોર્ડ કોર્પોરેશનમાં અપાઇ શકે છે નિમણુંક મુકીમના આવ્યા બાદ મુખ્ય પોર્ટફોલિયો સંભાળતા અન્ય એસીએસની બદલીઓની પણ સંભાવના ટુંક સમયમાં જાહેર થઇ શકે છે. એસીએસ કક્ષાએ બદલીની સંભાવના છે.

(4:01 pm IST)