વડોદરાની પંચવટી રિફાઇનરીમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: દંપતી સહીત 6 જુગારીની ધરપકડ
વડોદરા:પંચવટી રિફાઈનરી રોડ પર જયજલારામનગરમાં ચાલતા જુગારધામ પર જવાહરનગર પોલીસે દરોડો પાડીને છ જુગારીઓને ઝડપી પાડયા છે. આ અંગેની વિગત એવી છે કે જવાહરનગર પોલીસે મળેલી બાતમીના આધારે પંચવટી રિફાઈનરી રોડ પરની જયજલારામ નગર સોસાયટીમાં રહેતા સાજીદ દિલાવરભાઈ બારોટના ઘરે ચાલતા જુગારધામ પર દરોડો પાડયો હતો. મકાનમાંથી ૧. સાજીદ બારોટ ૨. સાજીદની પત્ની શોભના ૩. નાસીર ભીખાભાઈ કુરેશી ૪. અબ્બાસ અહેમદભાઈ કુરેશી (બંને રહે. મસ્જિદવાળુ ફળિયુ ઉંડેરા ગામ) ૫. રવિન્દ્ર સુરેન્દ્રસિંહ રાજપૂત (રહે. સુદામાનગર ગંગાનગરની બાજુમાં ૬. નૂતન કનૈયાલાલ આચાર્ય (રહે. સત્યમ એપાર્ટમેન્ટ ગુજરાત રિફાઈનરી રોડ)ને ઝડપી પાડયા હતા. પોલીસે રોકડા રૂપિયા અને ૪ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૧૭,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્ય છે. ઉલ્લેખનીય છે કે સાજીદ અને તેની પત્ની શોભના જ જુગારધામ ચલાવતા હતા.