રૂપાલનુ વાતાવરણ પાવન થશે
ઘણા સ્થળોએ પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરાઈ : રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે ધાર્મિક વિધી અને શ્રદ્ધાળુઓના ધસારા વચ્ચે પરંપરાગતરીતે પલ્લી કાઢવામાં આવે છે
અમદાવાદ, તા. ૬ : નવરાત્રી પર્વના છેલ્લા દિવસે ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામ નજીક આવતીકાલે વરદાયીની માતાના મંદિરથી અભૂતપૂર્વક ધાર્મિક માહોલ વચ્ચે પલ્લી કાઢવામાં આવનાર છે. પલ્લીની સાથે સાથે નીચે મુજબ છે
* ગાંધીનગર નજીક રૂપાલમાં પલ્લીને લઇને ધાર્મિક માહોલ
* આ વખતે અનેક સ્થળો ઉપર પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી
* ગયા વર્ષે પાંચ લાખ કિલો ઘીનોનો અભિષેક કરવામાં આવ્યો હતો
* ગયા વર્ષે બે દિવસ દરમિયાન ૧૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પલ્લી અને મંદિરમાં દર્શનનો લાભ લેવા પહોંચ્યા હતા
* ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયિની માતાનું ભવ્ય મંદિર છે અને નવરાત્રિમાં આસોસુદ નૌમના દિવસે મોડી રાત્રે પલ્લે કાઢવામાં આવે છે
* સવારમાં પલ્લી માતાજીના મંદિરની સામે બનાવવામાં આવેલા પલ્લી મંદિરમાં પહોંચે છે
* નવરાત્રીના અંતિમ દિવસે રૂપાલમાં માતા વરદાયિની માતાજીની પલ્લી નિકળે છે
* હજારો લાખોની સંખ્યામાં ભક્તો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવે છે
* માત્ર અમદાવાદ અને ગુજરાતના શ્રદ્ધાળુઓ જ નહી બલ્કે અન્ય રાજ્યોના લોકો પણ માતાજીના દર્શન કરવા માટે રૂપાલ પહોંચે છે
* મોડી રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે જ ધાર્મિક વિધી અને શ્રદ્ધાળુઓના જોરદાર ધસારા વચ્ચે પલ્લી કાઢવામાં આવે છે
* સોમવારના દિવસે સાંજથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રૂપાલ પહોંચી જશે
* આવતીકાલે સવારથી રૂપાલ તરફ દોરી જતા માર્ગો પર શ્રદ્ધાળુઓ ઉમટી પડશે
* લોકોના અવિરત પ્રવાહથી રૂપાલનુ વાતાવરણ પાવન બની જશે
* જય વરદાયિની માતાના જય ઘોષ કરતા પગપાળા શ્રદ્ધાળુઓ માર્ગો પર જોવા મળી રહ્યા છે
* કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. વાહનોની ચકાસણી પહેલાથી જ ઝડપી કરવામાં આવી રહી છે
* ફુડ વિભાગ દ્વારા સાવચેતી રૂપે ઘીના નમુના લેવામાં આવ્યા
* પલ્લીની શરૂઆત ઉનાવા ગામના ઠાકોર સમાજના લોકો યજ્ઞ કુંડમાં કુદવાની પરંપરા બાદ થાય છે
* ગામના રસ્તા પર અભિષેક વેળા ઘીની નદીઓ વહેતી થઇ જાય છે