ગુજરાત
News of Sunday, 6th October 2019

વિરમગામના વડગાસ ગામે પંચાયત ઓફિસના કમ્પાઉન્ડમાં ગાયનું મોત

સમયચર પાણી અને ઘાસચારો ના આપતા એક ગાયનું મોત થયાનો આક્ષેપ

વિરમગામના વડગાસ ગામે પંચાયત ઓફિસના કમ્પાઉન્ડમાં ગાયનું મોત થયું છે. રેઢિયાળ ગાયોને કમ્પાઉન્ડમાં પુરવામાં આવી હતી. જો કે સમયચર પાણી અને ઘાસચારો ના આપતા એક ગાયનું મોત થયું છે. જયારે અન્ય ગાયોની હાલત ખરાબ હોવાનો ગામલોકોએ આક્ષેપ કર્યો છે.

  આ સાથે જ ગામલોકોએ માંગણી કરી છે કે ગાયોને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે અથવા ઘાસચારો યોગ્ય સમયે આપવાંમાં આવે જેથી ગાયોની હાલતમાં સુધારો આવી શકે

(6:18 pm IST)