ગુજરાત
News of Sunday, 6th October 2019

ચાણસદ તળાવ મધ્યે પ્રમુખસ્વામીની પ્રતિમા સ્થાપિત કરી પ્રાગટય તીર્થ વિકસાવાશે

૧૦ કરોડના ખર્ચે વિકાસકાર્યો થશેઃ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન થયું

વડોદરા : પાદરા તાલુકાનુ ચાણસદ એ પ્રમુખ સ્વામીની પ્રાગટય ભૂમિ છે. ચાણસદના શાંતિલાલે અધ્યાત્મ માર્ગમાં ઉચ્ચકોટિએે પહોંચીને બાપ્સ સંસ્થાનું નેતૃત્વ કર્યુ. દેશ અને વિદેશમાં હજારો મંદિરોનું નિર્માણ કરાવ્યું.

આ મહાન સંતની જન્મભૂમિ જગતભરમાં પરમ આસ્થાનું કેન્દ્ર બની છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજયના પ્રવાસના વિભાગે અંદાજે રૂ. ૧૦ કરોડના ખર્ચે પૂણ્યભૂમિ ચાણસદના બહુમુખી દર્શનીય વિકાસનું આયોજન કર્યુ છે. આ કાર્યમાં બાપ્સના વર્તમાન વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અને સંત ગણનો પરામર્શ કરવામાં આવ્યો છે.

ચાણસદના વિશાળ તળાવની મધ્યમાં મહારાજની દિવ્ય પ્રમિા સ્થાપિત કરાશે અને કાંઠા સાથે સાંકળતા સેતુઓ (પુલ) બનાવી દર્શનની સરળતા કરવામાં આવશે.

આ ઉપરાંત પુજય સ્વામીજીનો જયાં જન્મ થયો એ ધરા (પ્રાગટય ભૂમિ) સ્વામીનારાયણ મંદિર અને ચાણસદના તળાવને સાંકળી લઇને ગ્રીનલેન્ડ સ્ક્રેપિંગ સહિત નયનરમ્ય વિકાસનુ઼ આયોજન અહી સાકાર થવાનું છે.

(11:51 am IST)