ખેડા જિલ્લામાં સર્જાયેલ જુદા-જુદા બે અકસ્માતમાં બેના કમકમાટી ભર્યા મોત
ખેડા: જીલ્લામાં એસટી બસના કારણે બે જુદા જુદા અકસ્માતો સર્જાયા છે. જેમાં મહુધાના તોરણીયા રોડ ઉપર બસે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે નડિયાદના સોડપુર ગામે બસે સાયકલને ટક્કર મારતા સાયકલ ચાલક બાળકનું મોત નિપજ્યું છે. આ બન્ને બનાવો સંદર્ભે હદ ધરાવતા પોલીસ મથકે ફેટલ અકસ્માતની નોંધ કરાઈ છે.
પહેલા બનાવ મહુધા પંથકમાં બન્યો છે. મહુધાના તાલુકાના સલાણી તાબેના બોરનગર ગામે પ્રતિકસિંહ દિલાવરસિંહ પરમાર (ઉં.વ.૨૨) રહેતા હતા. તેઓ આજે વહેલી સવારે પોતાનું મોટર સાયકલ નં.જી.જે.૭ સી.એન.૦૮૩૯ લઈને મહુધાના તોરણીયા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી ઉંદરાથી નંદગામ અને મહુધા જતી બસ નં.જી.જે.૧૮ વાય.૧૮૧૩ના ચાલકે પ્રતિકસિંહના મોટર સાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક પ્રતિકસિંહને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું.