News of Friday, 6th August 2021
જન્મદિનની શુભેચ્છાથી ભીંજવતા સાંસદ
ડો.ચંદ્રકાન્ત મહેતા ગુજરાતના ગૌરવ સમાન : નરહરિ અમીન
રાજકોટ,તા. ૬ : ગુજરાતના જાણીતા લેખક,સાહિત્યકાર અને વિદ્વાન વકતા અમદાવાદ સ્થિત ડો. ચંદ્રકાન્ત મહેતાને રાજ્યસભાના સભ્યશ્રી નરહરિ અમીને બહુમતી પ્રતિભા ગણાવી આજે તેમના જન્મદિન નિમિતે શુભેચ્છા પાઠવી છે.
શ્રી નરહરિ અમીને જણાવેલ કે, ચંદ્રકાન્ત મહેતા વિધાતાના વરદાનરૂપ વિદ્વાન ધરાવે છે. શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, સમાજ સેવા વગેરે ક્ષેત્રે તેમનું અપાર યોગદાન છે. તેઓ ગુજરાતના ગૌરવરૂપ છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કાર આપીને ગૌરવ વધાર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી અમીનના હીરામણિ શિક્ષણ સંકુલમાં ડો.મહેતાએ વર્ષો સુધી વહીવટી નિયામક તરીકે સેવા આપેલ. હજુ પણ ટ્રસ્ટી તરીકે સેવારત છે.
(12:11 pm IST)