ભરૂચમાં પતિ સાથે નજીવી તકરારમાં પરણીતાએ ગળેફાસો ખાદ્યો
પોતાના ગામ જવાની બોલાચાલી બાદ પરણીતાએ પગલું ભર્યું
ભરૂચમાં પતિ સાથે નજીવી તકરાર બાદ પરણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
મળતી વિગત મુજબ ભરૂચના શકિતનાથ વિસ્તાર ની સંતોષ નગર સોસાયટીમાં ૪૨ નંબરના મકાનમાં પત્ની અને ૧૭ વર્ષીય પુત્ર સાથે રહી ભરૂચની ABC કંપનીમાં નોકરી કરતા કિરિટસિંહ ફતેસિંહ દોડીયાને રજા હોઇ તારીખ પંચમીના રોજ પોતાના ગામ વાગરાના ત્રાંકલ ગામે જવું હતું.જે બાબતે પત્ની ફાલ્ગુની સાથેની વાતચિત દરમિયાન તેણે આજે નહીં પણ કાલે જઇશું નું જણાવતા પતિ-પત્ની બંન્નેવ વચ્ચે બોલાચાલી થઈ હતી.જેમાં કિરિટસિંહે ઉશ્કેરાઇ જઇ ઘરનું બારણું જોરથી અફાળી ઘરની બહાર જતા રહયા હતા.બાદમાં થોડી વાર પછી ગુસ્સો શાંત થતા ઘરે પરત ફર્યા હતા.દરમિયાન પોતાના ઘરનું બારણું અંદરથી બંધ જોઇ ખખડાવતા પણ ના ખોલતા કંઇક અજૂગતું બન્યુ હોવાની આશંકાએ પતિ કિરિટસિંહે અડોશ -પડોશના લોકોની હાજરીમાં જ પોતાના ઘરનું બારણું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.