ગુજરાત
News of Thursday, 6th June 2019

આણંદ નજીક બાકરોલમાં પરિણીતા પાસે 25લાખની માંગણી કરી સાસરિયાએ ત્રાસ ગુજારી બાળકો સાથે ઘરની બહાર કાઢી મુકતા ગુનો દાખલ

આણંદ: નજીક આવેલા બાકરોલ ગામે રહેતી એક પરિણીતાને તેના પતિ, સાસુ અને સસરા દ્વારા દહેજના મામલે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને બે બાળકો સાથે પહેરેલા કપડે કાઢી મૂકતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ ખાતે રહેતી ફરિયાદી શીતલબેનના લગ્ન ગત ૨૦૦૩માં સુરત ખાતે રહેતા મનિષચન્દ્ર રમેશભાઈ પટેલ સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતા. શરૂમાં બન્નેનું લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતુ જેને લઈને બે સંતાન પ્રાપ્તી થઈ હતી. જો કે ત્યારબાદ પતિ મનિષચન્દ્ર, સાસુ સવિતાબેન અને સસરા રમેશભાઈ દ્વારા દહેજની માંગણી ચાલુ કરી દીધી હતી. જે ના સંતોષાતા તેણી પર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનું ચાલુ કરી દીધું હતુ. પતિ દારૂ પીવાની ટેવવાળા તેમજ અન્ય સ્ત્રી સાથે પણ સંબંધો ધરાવતા હોય તુ મને ગમતી નથી, મારે છૂટાછેડા જોઈએ છે તેમ જણાવીને ત્રાસમાં વધારો કરી દીધો હતો. પતિ દ્વારા પુત્રીના ભણતર પેટે તેમજ દહેજ પેટે પિયરમાંથી ૨૫ લાખ લઈ આવવાની માંગણી કરી હતી. જે ના સંતોષતા ગત ૩૧-૮-૨૦૧૮ના રોજ તેણીને મારઝુડ કરીને બે બાળકો સાથે પહેરેલા કપડે કાઢી મૂકી હતી. 

(5:54 pm IST)