ગુજરાત
News of Wednesday, 6th June 2018

આણંદમાં બે જુદા જુદા બનાવમાં પરણીતાને ત્રાસ ગુજારી પરેશાન કરનાર સાસરિયા વિરુદ્ધ કડક કાર્યવાહી

આણંદ: જિલ્લામાં બે જુદાજુદા સ્થળો પરીણિતાને શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આણંદમાં રહેતી પરીણિતાને છ સાસરીયા દ્વારા ત્રાસ ગુજારાયો હતો. આ પરીણિતાને તેના પતિના બીજી મહિલા સાથે સબંધ હોવાની જાણ થતા સાસરીયાઓએ ત્રાસ ગુજાર્યો હતો.જ્યારે તેણીના સસરાએ તેની એકલતાનો લાભ લઈ આબરુ લેવાનો પ્રયાસ કરતા મામલો મહિલા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જ્યારે આણંદના હાડગુડમાં રહેતી પરીણિતાને ગાડી અને રકમ દહેજ પેટે મંગાવતા અને ત્રાસ ગુજારતા પાંચ સાસરીયાઓ સામે મહિલા પોલીસ મથકે એફઆઈઆર નોંધાવી હતી. આ ઘટનાઓમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આણંદના મંગળપુરામાં રહેતા છ સાસરીયા અને એક મહિલા દ્વારા પરીણિતાને શારીરિક માનસિક ત્રાસ ગુજરાવામાં આવ્યો હતો. મુળ સુરતના કામરેજ કોમ્પલેક્ષમાં રહેતી માનસીબેનના લગ્ન મંગળપુરા વિસ્તારમાં રહેતા તૃષાર ઈન્દ્રવદન વૈધ સાથે કરવામાં આવ્યા હતા.

(6:13 pm IST)