ગુજરાત
News of Wednesday, 6th June 2018

બંને પક્ષોએ ટિકિટનું વચન આપ્યું:આંદોલનના નામે રાજકીય પક્ષો સાથે જોડાયેલાએ ક્યાંક લાભ લીધો છે: લાલજી પટેલે મૌન તોડ્યું

 

અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન દરમ્યાન અનેક નેતાઓને કરોડોની લાલચ આપી આંદોલનને તોડી પાડવાનો વીડિયો વાયરલ થયો બાદ એસપીજી પ્રમુખ લાલજી પટેલે મામલે મૌન તોડ્યું છે.

લાલજી પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી વખતે તેમને ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા લોભામણી ઓફરો કરાઇ હતી. પરંતુ એસપીજીનો હેતુ ખરા અર્થમાં સમાજસેવાનો હોવાથી ઓફરનો સ્વીકાર કર્યો હોવાનું લાલજી પટેલે જણાવ્યું હતું.

 લાલજી પટેલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે બંને પક્ષોએ તેમને ટિકીટ આપવાનું પણ વચન આપ્યું હતું. પરંતુ જે લોકો આંદોલનના નામે રાજકીય પક્ષો સાથે જોડાયા છે તેમણે ક્યાંકને ક્યાંક લાભ લીધો છે. પાટીદાર સમાજ આવા લોકોને ક્યારેય માફ નહીં કરે તેમ લાલજી પટેલે જણાવ્યું હતું.

(1:03 am IST)