ગુજરાત
News of Thursday, 6th May 2021

વેક્સીન લીધા પહેલા રક્તદાન:અમદાવાદ અકિલાના યુવાન પ્રતિનિધિ ગૌરવભાઈ ખત્રીએ નવો રાહ ચીંધ્યો

કોરોના મહામારીમાં રક્તની ખુબ જ જરૂર :લોકોને રક્તદાન બાદ વેક્સિન લેવા અપીલ કરી

અમદાવાદ : રક્તદાન એ મહાદાન છે અને હાલની કોરોનાની મહામારીમાં રક્તની ખૂબ જ જરુરિયાત ઊભી થઈ છે

સાથે જ ૧૮ થી ૪૪ વર્ષની વયનાં લોકોનું વેક્સિનેશન કેમ્પ ચાલતો હોવાથી વેક્સિન લીધા બાદ થોડા દિવસો માટે રક્તદાન કરી શકાતું નથી ત્યારે અમદાવાદના અકિલા ના યુવાન પ્રતિનિધિ ગૌરવ ખત્રી એ વેક્સિન લીધા પહેલા રક્તદાન કર્યું હતું અને સાથે જ લોકોને રક્તદાન બાદ વેક્સિન લેવા અપીલ કરી છે

(7:11 pm IST)