News of Thursday, 6th May 2021
વેક્સીન લીધા પહેલા રક્તદાન:અમદાવાદ અકિલાના યુવાન પ્રતિનિધિ ગૌરવભાઈ ખત્રીએ નવો રાહ ચીંધ્યો
કોરોના મહામારીમાં રક્તની ખુબ જ જરૂર :લોકોને રક્તદાન બાદ વેક્સિન લેવા અપીલ કરી
અમદાવાદ : રક્તદાન એ મહાદાન છે અને હાલની કોરોનાની મહામારીમાં રક્તની ખૂબ જ જરુરિયાત ઊભી થઈ છે
સાથે જ ૧૮ થી ૪૪ વર્ષની વયનાં લોકોનું વેક્સિનેશન કેમ્પ ચાલતો હોવાથી વેક્સિન લીધા બાદ થોડા દિવસો માટે રક્તદાન કરી શકાતું નથી ત્યારે અમદાવાદના અકિલા ના યુવાન પ્રતિનિધિ ગૌરવ ખત્રી એ વેક્સિન લીધા પહેલા રક્તદાન કર્યું હતું અને સાથે જ લોકોને રક્તદાન બાદ વેક્સિન લેવા અપીલ કરી છે
(7:11 pm IST)