ગુજરાત
News of Thursday, 6th May 2021

પાટણના એબીપી અસ્મિતાના રીપોર્ટર વિનોદભાઇ ગજ્જરનું કોરોનાથી અવસાન

પાટણ, તા., ૬: પાટણ જીલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. જીલ્લામાં પણ મૃત્યુ આંક વધી રહયો છે. પાટણ જીલ્લાના એબીપી અસ્મિતાના રીપોર્ટર વિનોદભાઇ ગજ્જરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને છેલ્લા ૧૦ દિવસથી તેમની સારવાર બાદ વિનોદભાઇ ગજ્જરનું અવસાન થતા જીલ્લાના પત્રકાર આલમમાં શોકનું મોજુ ફેલાયુ હતું. રીપોર્ટર વિનોદભાઇના નિધનથી પત્રકાર આલમમાં મોટી ખોટ પડી છે. સમગ્ર પાટણ જીલ્લાનું મીડીયા જગત તેમના પરીવારની પડખે ઉભુ રહેલ છે તેવા આશ્વાસનો આપેલ છે. મિત્ર વર્તુળ તેમજ કુટુંબીજનોમાં આઘાત લાગ્યો છે તેમના પરીવારને આ સંકટની ઘડીમાં સૌ આશ્વાસન આપી રહેલ છે.

(12:58 pm IST)