ચાણસ્મા નજીક મીઠી ધારીઆલમાં યુવકનું અપમૃત્યુ થતા પિતાએ ગંભીર આક્ષેપો કરી હત્યાની રજુઆત કરી
ચાણસ્મા:તાલુકાના મીઠીઘારીઆલ ગામના યુવકનું અકસ્માતમાં થયેલ મોત અંગે તેના પિતાએ ગંભીર આક્ષેપો કરી પોતાના પુત્રની હત્યા કરાઈ હોવાની રજૂઆત કરી છે. અને આ કેસમાં હત્યાનો ગુનો નોંધવા માંગણી કરી છે.
ગત તા.૨૮-૨-૨૦૨૦ના રોજ બાઈક ઉપર બેસાડી મહેસાણા નજીકના કરશનપુરા-સામેત્રા રોડ ઉપર અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘાયલ સુરેશજીને ૧૦૮ દ્વારા મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. ૨૦ દિવસ બાદ તા.૧૮-૩-૨૦૨૦ના રોજ મોત નિપજ્યું હતું. તે વખતે મરણજનારના પિતા તથા ગ્રામજનોએ મૃતકની લાશ સ્વીકારવાનો ઈન્કાર કરતાં અફડાતફડીનો માહોલ સ ર્જાયો હતો. જોકે પોલીસની સમજાવટ બાદ આ સમગ્ર ઘટનાની તપાસ મહેસાણા તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટરને સાંપવાનો આદેશ કર્યો હતો. આ અંગે મરણજનારના પિતા ઠાકોર જ્યંતિજીએ તા.૫-૩-૨૦૨૦ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક મહેસાણા તથા રાજ્યના ગૃહમંત્રી સમક્ષ આ ઘટના બાબતે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ કરવા રજૂઆત કરી હતી.