રાજ્યમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : નવા 571 કેસ નોંધાયા : વધુ 403 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એક દર્દીનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 4414 : કુલ 2,65,372 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 3 જિલ્લામાં એકપણ કેસ નહીં :રાજ્યમાં વધુ 1,31,821 લોકોને રસી અપાઈ
રાજ્યમાં આજે સુરતમાં 134 કેસ, અમદાવાદમાં 124 કેસ,વડોદરામાં 117 કેસ, રાજકોટમાં 58 કેસ, ગાંધીનગર ,જામનગર અને કચ્છમાં 12- 12 કેસ, આણંદમાં 11 કેસ, ભાવનગરમાં 10 કેસ,જૂનાગઢ અને મહેસાણામાં 9- 9 કેસ, સાબરકાંઠામાં 8 કેસ, ગીર સોમનાથ અને મહીસાગરમાં 7-7 કેસ, ખેડામાં 6 કેસ, નર્મદા અને ચમહાલમાં 5-5 કેસ નોંધાયા :રાજ્યમાં હાલમાં 3025 એક્ટિવ કેસ:જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ ફરી નવા કેસની સંખ્યા 500ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 403 દર્દીઓ રિકવર થયા છે
રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે
રાજ્યમાં આજે કોરોનાના નવા 571 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 403 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,65,372 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે રાજ્યમાં મૃત્યુઆંક 4413 થયો છે છે રાજ્યમાં રિકવરી રેટ 97,27 થયો છે
રાજ્યમાં હાલ 3025 એક્ટિવ કેસ છે, જેમાંથી 45 લોકો વેન્ટિલેટર પર અને 2980 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,65,372 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 13,74,244 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 3,30,463 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી
રાજ્યમાં આજે 60 વર્ષર્થી વધુની વાય વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે કુલ 1,31,821 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું
રાજ્યમાં આરોગ્યવિભાગની અસરકારક કામગીરીને કારણે આજે રાજ્યના પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ 3 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 571 પોઝિટિવ કેસમાં સુરતમાં 134 કેસ, અમદાવાદમાં 124 કેસ,વડોદરામાં 117 કેસ, રાજકોટમાં 58 કેસ, ગાંધીનગર ,જામનગર અને કચ્છમાં 12- 12 કેસ, આણંદમાં 11 કેસ, ભાવનગરમાં 10 કેસ,જૂનાગઢ અને મહેસાણામાં 9- 9 કેસ, સાબરકાંઠામાં 8 કેસ, ગીર સોમનાથ અને મહીસાગરમાં 7-7 કેસ, ખેડામાં 6 કેસ, નર્મદા અને પંચમહાલમાં 5-5 કેસ નોંધાયા છે