વડોદરા:ગંભીર બીમારીથી કંટાળી 35 વર્ષીય યુવાને ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી
વડોદરા: શહેરના અટલાદરા વિસ્તારની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતો કલ્પેશ રમણભાઇ પરમાર (ઉ.વ.૩૫) ગોરવા વિસ્તારની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છ.વર્ષ-૨૦૧૮ માં તેને ગંભીર બીમારી થઇ હતી.તેનું ઓપરેશન પણ કરાવ્યુ હતું.પરંતુ,બીમારીના કારણે તેને ખાવામાં તકલીફ પડતી હતી.જેના કારણે કંટાળી ગયો હતો.છેલ્લા ૧૦ દિવસથી તેની તબિયત સારી ન હોય તે નોકરી પર જતો નહતો.ગઇકાલે આખી રાત તેના પગ દુખતા હતા.આજે સવારે તે પાંચ વાગ્યે ઉઠી ગયો હતો.બેડરૃમમાં જઇને તેણે પંખા પર દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો.અડધો કલાક સુધી તે બેડરૃમની બહાર નહી નીકળતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો.પરંતુ,કલ્પેશે દરવાજો નહી ખોલતા પરિવારજનોએ જોરથી દરવાજાને ધક્કો મારતા દરવાજાની સ્ટોપર તૂટી જતા દરવાજો ખુલી ગયો હતો.અને અંદર જોયુ તો કલ્પેશે ફાંસો ખાઇ લીધો હતો.
બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા હે.કો.રમેશભાઇએ ઘટનાસ્થળે જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કલ્પેશના પિતા એસ.આર.પી.માં નોકરી કરતા હતા.અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે.