ગુજરાત
News of Saturday, 6th March 2021

રિવરફ્રન્ટ- અમદાવાદ ખાતે કાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે

‘ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-૨૦૨૧’નું ઉદ્દઘાટન કરાશે: ત્રણ દિવસ માટે ફાર્મ ‘ફ્રેશ ફેસ્ટિવલ-૨૦૨૧’ યોજાશે

ગાંધીનગર::::રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કાલે તા. ૦૭ માર્ચથી ત્રિ દિવસીય ‘ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-૨૦૨૧’નું ઉદ્દઘાટન કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે તા. ૦૭થી ૦૯ માર્ચ સુધી યોજાનાર ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-૨૦૨૧માં દરેક જિલ્લામાંથી આગવી ઓળખ ધરાવતા ફળ, શાકભાજી, મસાલા પાકો, ફુલ, કાજુ તથા પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના કુલ-૧૦૦ જેટલા સ્ટોલ ઉપરથી ખેડૂતો મારફત શાકભાજી, ફળ-ફળાદી, મધ, મસાલા પાકો,  સજીવ ખેત ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે.

(4:24 pm IST)