News of Saturday, 6th March 2021
નરેન્દ્રભાઈના માતુશ્રી હિરાબાને રસી લેવા માટે સંપર્ક કરાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રીને કોરોનાની વેકસીન લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પંકજ મોદીનો સંપર્ક કરવામાં આવ્યો છે. હીરાબાને રસી લેવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ અંગે નરેન્દ્રભાઈ સાથે ચર્ચા કરવામાં આવશે. તેમ જાણવા મળે છે.
(1:19 pm IST)