અમદાવાદમાં સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો: ગર્ભવતી બનતા યુવક છોડીને ભાગી ગયો: ધરપકડ
મિત્રની બાજુમા રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું :છ મહિનામા 3 વખત દુષ્કર્મ ગુજાર્યા બાદ સગીરા ગર્ભવતી બની: તરછોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
અમદાવાદમાં પ્રેમીએ લગ્ન કરવાની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું અને જ્યારે સગીરા ગર્ભવતી બની ત્યારે તેને તરછોડી દીધી.આ અંગે નિકોલ પોલીસને ફરિયાદ મળતા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે.નિકોલ પોલીસ આકાશ રાજપુત નામના આરોપીની ધરપકડ કરી છે. જે નિકોલ ચાર માળીયાનો રહેવાસી છે.
આકાશ તેના મિત્રના ઘરે આવતો હતો.તે સમયે મિત્રની બાજુમા રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. છ મહિના મા 3 વખત સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ સગીરા ગર્ભવતી બન્યા બાદ આકાશે તેને તરછોડી દેતા મામલો પોલીસ મથકે આવ્યો જ્યાં પોલીસે ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે.
પ્રેમી આકાશના દુષ્કર્મ બાદ જ્યારે સગીરા ગર્ભવતી બની ત્યારે તેના મિત્ર સાથે હોસ્પિટલ મોકલી હતી. જ્યાં સગીરાની ઉમર ખોટી બતાવી હતી અને સાથે જ મિત્ર ને પ્રેમિકાનો પતિ બતાવ્યો હતો. જે અંગે ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. જોકે ગર્ભવતી હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રેમી આકાશ તેને તરછોડી ફરાર થયો હતો.. જેથી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.
સગીરાની તપાસ કરતા સામે આવ્યું કે, સગીરાના માતા પિતાને ગર્ભવતી અંગેની માહિતી મળતા તેનો ગર્ભપાત કરાવ્યો હતો. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે