ગુજરાત
News of Saturday, 6th February 2021

સુરતના પરવત પાટિયા નજીક પ્રેમીની હત્યામાં જામીન પર છૂટેલ મહિલાએ ત્રણ અન્ય શખ્સો સાથે મળી આધેડ પર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના પરવત પાટીયા બ્રિજ નીચે ફૂટપાથ ઉપર રહેતી અને ચાર દિવસ અગાઉ જ પ્રેમીની હત્યાના ગુનામાં જામીન ઉપર છુટેલી મહિલાએ ગત સવારે કહેવાતા પતિ અને અન્ય બે યુવાન સાથે મળી હમાલીકામ કરતા આધેડ ઉપર હુમલો કરતા પુણા પોલીસે તેની અટકાયત કરી હતી.

પરવત પાટીયા વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી પરવત પાટીયા બ્રિજ નીચે ફૂટપાથ ઉપર રહેતા અને હમાલીકામ કરતા 45 થી 50 વર્ષના રામવિલાસ શિવમુખીયા મલાર ગત સવારે 8.30 વાગ્યે સુતા હતા ત્યારે ત્યાં જ ફૂટપાથ ઉપર રહેતી ગીતા, તેનો કહેવાતો પતિ અમિત ભૈયા, શંકરવા સહારા દરવાજા અને અન્ય એક યુવાન ત્યાં આવ્યા હતા અને આગલા દિવસે રામવિલાસનો ગીતા અને તેના કહેવાતા પતિ સાથે ઝઘડો થયો હોય તેની અદાવત રાખી ઝાડુ બાંધવાની લાકડી, ડંડા, લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. રામવિલાસને માથાના તથા કપાળના ભાગે, જમણા હાથમા કોણીમા ફ્રેક્ચર કરી અને પેટમા તથા શરીર ઉપર ઇજા પહોંચાડી ચારેય ભાગી છૂટ્યા હતા. કોઈકે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેમણે રામવિલાસને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયા હતા.

(4:42 pm IST)