ગુજરાત
News of Saturday, 6th February 2021

રાજપીપળા ખાતે શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા ઘરડા ઘર અને જરૂરિયાતમંદોને ભોજનની સેવા અપાઈ

હસુમતીબેન કિરીટકુમાર સોનીના જન્મ દિવસ નિમિત્તે આ ભોજન પીરસાયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન ઘણા વર્ષોથી જરૂરિયમંદો માટે સેવાકાર્યો કરે છે તેમજ રાજપીપળા શહેરમાં ફરતા લાચાર નિરાધાર ભિક્ષુકોને પણ વર્ષોથી શોધી શોધીને ભોજન સહિત વસ્ત્રો અને અન્ય જરૂરી વસ્તુઓ આપી માનવતાનું કાર્ય કરે છે.ત્યારે આજે હસુમતીબેન કિરીટકુમાર સોનીનો જન્મ દિવસ હોય એ નિમિત્તે અન્નપૂર્ણા ફાઉન્ડેશન દ્વારા રાજપીપળાના ઘરડા ઘરમાં રહેતા વડીલો તેમજ અન્ય જરૂરિયાતમંદોને ભોજન આપી ઘરડા ઘરના વડીલો સાથે થોડોક સમય પસાર કરી તેમને હૂંફ પણ આપી હતી. આમ આ સંસ્થાના હોદ્દેદારો વારંવાર દરેક ક્ષેત્રના લોકો માટે સેવાકાર્યો કરતા આવ્યા છે.

(11:03 pm IST)