આણંદ તાલુકાના મોગરમાં મધરાત્રે બે ઘરને નિશાન બનાવી તસ્કરોએ 10 લાખથી વધુની મતાની તસ્કરી કરી
આણંદ તાલુકાના મોગર ગામમંા સફેદ દરવાજા વિસ્તારના વડોદીયા ફળિયામાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં મુખ્ય દરવાજાના નકુચા તોડીને ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ તિજોરી તોડીને સોના, ચાંદીના દાગીના અને રોકડ મળીને આશરે ૧૦.૦પ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે આણંદ રુરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરો વિરુદ્વ તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતોમાં મોગરના વડોદીયા ફળિયામાં રહેતા મયુરસિંહ મહીપતસિંહ મહીડા ખેતીકામનો વ્યવસાય કરે છે. મકાનના નીચેના માળે મયુરસિંહ અને તેમનો પરિવાર તથા ઉપરના માળે તેમના વિધવા ભાભી લ-મીબેન અને તેમની બે દીકરીઓ રહે છે. એક માસ અગાઉ મયુરસિંહ પરિવાર સાથે મોગર હાઇવે પર બસ સ્ટેન્ડ નજીકના ખેતરમાં રહેવા ગયા હતા.