News of Monday, 5th December 2022
નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમા વાસીઓ માટે રાજપીપળા કરજણ ઓવારે ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : હાલમાં નર્મદા પરિક્રમા શરૂ થઈ છે ત્યારે અલગ અલગ રાજ્યોમાંથી નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમા વાસીઓ માટે અનેક ઠેકાણે સ્થાનિક ભકતો દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં હાલમાં રાજપીપળા શહેરમાં પણ દરરોજ અનેક પરિક્રમા વાસીઓ આવતા હોય રાજપીપળાનાં કરજણ નદીના ઓવારા પાસે નદી કિનારે આવેલા સીકોતર માતાના મંદિર પાસે રાજેન્દ્રસિંહ રાઉલ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઇ છે જેમાં દરરોજ દસ થી વધુ પરિક્રમા વાસીઓ વિરામ લઇ ભોજન,ચાહ નાસ્તો લઇ આગળ રવાના થાય છે જેમાં રવિવારે અગિયારસનાં દિવસે ત્યાં આવેલા પરિક્રમા વાસીઓ માટે ખાસ ફ્રૂટ અને ચાહની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(10:13 pm IST)