નર્મદા જિલ્લામાં આજે 7 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક 1581 એ પોંહોચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા કોર્ટ પાસે-1,ચિત્રકૂટ સોસાયટી-2,રાજપીપળા-1,નાંદોદ તાલુકાના વડિયા-1,રાજપરા-1,અને ડેડીયાપાડા-1 મળી નર્મદા જિલ્લામાં 7 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 10 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 16 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 46 દર્દી દાખલ છે.આજરોજ 13 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1497 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1581એ પહોચ્યો છે. આજે વધુ 345 સેમ્પલ ચકાસણી હેઠળ છે.