સુરત: વિવિધ વિસ્તારમાં આર્થિક કટોકટીના કારણે તરુણી સહિત 2 શખ્સોએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યો
સુરત:શહેરમાં વિવિધ વિસ્તારમાં ચાર વ્યક્તિઓએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યુ હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભેસ્તાન ખાતે બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતી ૧૬ વર્ષીય પુજા ગોળકેએ ગતરાત્રિ દરમિયાન ઘરમાં પંખા સાથે સાડીનો ટૂકડો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે કહ્યું કે પુજાને દિવાળી માટે નવા કપડા લેવા હતા. તેના પિતાએ પગાર થાય એટલે નવા કપડા અપાવીશ એવું પણ કહ્યું હતું. તેમ છતાં તેણે માઠું લગાવીને આ પગલું ભર્યુ હતું. તેના ૨ ભાઈ અને ૧ બહેન છે. તેના પિતા માર્કેટમાં નોકરી કરે છે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં પુણા ગામમાં ચામુંડા નગર સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષયી પુજા જયંતીભાઈ સોરઠીયાએ ગત સાંજે ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટી હતી.
પોલીસે કહ્યું કે તેના હીરાના કામ સાથે સંકળાયેલા છે. તેની સગાઈ થઈ ગઈ હોવાથી વર્ષ ૨૦૧૯ માં લગ્ન કરવાના હતા. તેણે કયા કારણસર આ પગલું ભર્યુ તે તપાસ બાદ સ્પષ્ટ થશે. આ અંગે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.