રાજપીપળાની મુંબઇ પરણાવેલી પરિણીતાને દહેજ માટે ત્રાસ આપતા પતિ-સાસુ વિરૂદ્ધ મહિલા પો.સ્ટે.માં ફરીયાદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં રહેતી અને મુંબઈ પરણાવેલી મહિલાને દહેજ માટે ત્રાસ આપતા પતિ અને સાસુ સામે પોલીસ ફરીયાદ થઈ છે.
મળતી માહિતી અનુસાર રેશ્માબેન મોહમંદહુસેન શેખની દિકરી તથા નાઝીરહુસુન વલી શેખની પત્ની (ઉ.વ.૩૫ ) ( રહે.એલ.આઇ.સી.ઓફિસની પાસે ખાટકીવાડ નવા ફળીયા,રાજપીપળા ) એ આપેલી ફરીયાદ મુજબ તેમના પતિ નાઝીર હુસેન વલી શેખ તથા સાસુ નુરઝહા યુસુફવલી શેખ બન્ને (રહે.કાંદીવલી,હનુમાનનગર નવરંગવાડી, પલક જવેલર્સ ની પાછળ,મુબંઇ (ઇ) રેશ્માબેન ને ઘરના કામ બાબતે મહેણાં ટોણાં મારી મારઝુડ કરી ઢીકા પાટુનો માર મારી,મારી નાખવાની ધમકીઓ આપી તથા ઘર ચલાવવા પિયરમાંથી ફ્રિજ, સિલાઇ મશીન,નકદો દહેજ પેટે માંગણીઓ કરી મારઝુડ કરી શારિરીક માનસિક ત્રાસ આપી પહેરેલ કપડે કાઢી મુકતા તા.4 જુલાઇ એ આપેલી આ ફરીયાદ ના આધારે મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.