ગુજરાત
News of Thursday, 5th August 2021

વડોદરાના નિઝામપુરામાં ધોળા દિવસે બે મંદિરોને નિશાન બનાવી તસ્કરોએ તસ્કરી કરતા ભક્તોમાં રોષની લાગણી

 

વડોદરા: શહેરના નિઝામપુરા વિસ્તારમાં નજીક નજીકમાં આવેલા બે મંદિરોમાં ધોળા દિવસે ચોરીનો બનાવ બનતા ભક્તોમાં રોષની લાગણી વ્યાપી છે.

નિઝામપુરા રણછોડજી મંદિરની વાડી પાસે આવેલા અંબાજીના મંદિરમાં સવારે 9:45 વાગે આરતી થયા બાદ બપોરે 12 વાગે પુજારી ગયા તે દરમિયાન મંદિરમાંથી પિતળની ઘંટડી અને ત્રિશુલ આકારનું દીવી સ્ટેન્ડ કોઈ ચોર ઉઠાવી ગયો હોવાનું જણાવ્યું હતું.

રીતે નિઝામપુરા પેટ્રોલ પંપ પાસે આવેલા સાંઈબાબાના મંદિરે હિરેનભાઈ રાજપુત સવારે આરતી કરી પરત ફર્યા હતા. સાંજે તેઓ મંદિર ખોલવા ગયા તે દરમિયાન મંદિરમાં મૂકેલ પિત્તળ દીવી સ્ટેન્ડ કોઈ ચોરી ગયો હતો. સાઈ કે દીવાને ગ્રુપ દ્વારા બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.

(6:00 pm IST)