ગૌ હિતાર્થે આમરણાં ઉપવાસ ઉપર બેઠેલા આચાર્ય હરીદાસ મહારાજના સમર્થનમાં ગૌભક્તો એ રાજપીપળા મામલતદારને આવેદન આપ્યું
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગાંધીનગરમાં ગૌ હિતાર્થે આમરણાં ઉપવાસ ઉપર બેઠેલા આચાર્ય હરીદાસ મહારાજના સમર્થનમાં ગૌ ભક્તો દ્વારા રાજપીપળા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતુ,
આવેદનમાં જણાવવામાં આવ્યુ હતુ કે, સચિવાલય ગાંધીનગર ની સામે આવેલા રોકડીયા હનુમાનજીના મંદિરે આચાર્ય હરીદાસ મહારાજ દ્વારા ગૌ હિતાર્થે આમરણાં ઉપવાસ કરવામા આવી રહ્યા છે. જેથી સરકાર દ્વારા તેમની વ્યાજબી માંગો સંતોષાય તેવી અમારી સૌ ગૌ ભક્તોની માગણી અને લાગણી છે,આ માંગણી સરકાર સુધી પહોંચે તેવી માંગ કરી હતી
નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ અજીતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે સરકાર ગૌરક્ષા માટે કડક કાયદા ઘડી ગૌહત્યા રોકે તથા ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી નો દરજ્જો આપે તેવી માગણી કરી હતી. આવેદનપત્રમાં નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ અજીત સિંહ રાઠોડ, ડેડીયાપાડા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ તેજસભાઈ જોષી, પ્રેમશંકર જોષી તથા ગૌ ભક્તો હાજર રહ્યા હતા.