વડોદરા:શહેરના જુદા જુદા વિસ્તારમાં ગંદકી હટાવવાની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવતા લોકોએ રાહતના શ્વાસ લીધા
વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ હેઠળ તા.૪ થી ૧૮ ઓગષ્ટ દરમ્યાન વોર્ડ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ શરૃ કરવામાં આવેલી છે.
આજરોજ શહેરમાં ઠેક ઠેકાણેથી ખુલ્લા ગંદા સ્પોટ વોર્ડ પ્રમાણે નાબૂદ કરાયા હતા. જેમાં સંત કબીર રોડ, એરપોર્ટ રોડ, સોમાતળાવ બ્રીજ, માંજલપુર- અલવાનાકા, ખંડેરાવ માર્કેટ, રામપુર- અકોટા- વડુ હાઉસીંગ, નિરધર સ્પોટ, અમરનગર બહુચરાજી, કાલુપુરા રામદેવનગર દાવડાનગર કિશનવાડી પશાભાઈ લલિતા ટાવર નંદાલય, અયોધ્યાપુરી વિજયનગર તરસાલી સુશેન રોડ સ્પોટ સહિત કુલ ૬૩ જેટલા ગંદા સ્પોટ નાબૂદ કરાયા છે. તા.૧૮ સુધી અલગ અલગ વિસ્તારો જેમ કે હોસ્પિટલ, સ્લમ, મુખ્ય રસ્તા, ફુટપાથ, તળાવ, નદી કાંઠા વિસ્તાર, પડતર અને ઔદ્યોગિક વિસ્તાર વગેરેની સફાઈ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે.