News of Wednesday, 5th August 2020
અયોધ્યામાં શિલાન્યાસ પહેલા ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ રોશનીથી ઝળહળ્યું
લોકોને ઘરે ઘરે દીપ પ્રાગટય કરવા અપીલ કરાઈ
ગાંધીનગર : અયોધ્યામાં આવતીકાલે રામ મંદીરનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભવ્ય ભૂમિપૂજન કરવામાં આવનાર છે ત્યારે પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા બે રાજ્યવ્યાપી કાર્યક્રમોની આજે બપોરે જાહેરાત કરાઇ હતી જેમાં રાજ્યભરના ભાજપ કાર્યાલય શણગરવાના તેમજ લોકોને ઘરે ઘરે દીપ પ્રાગટય કરવા અપીલ કરાઈ હતી. જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે ને રોશનીથી ઝળહળીત કરી દેવામાં આવ્યું હતું.
(12:57 am IST)