પંચાયતી રાજ બક્ષીપંચ મોરચાના સામાજીક સંકલન સેલના કન્વીનરપદે હેમરાજભાઇ પાડલીયા
રાજકોટ તા. પઃ ગુજરાતના ગ્રામ્ય કક્ષાએ વિકાસ અને પ્રાણવાયુ સમાન પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રામ્ય વિસ્તારના વિકાસ પથ કહી શકાય એવા જીવાદોરી સમાન કાર્ય ભારતમાં પંચાયતી રાજ ગ્રામીણ સ્વરાજની પદ્ધતિ સૂચવે છે. પંચાયતી રાજને ગ્રામીણ શહેરી અને રાજયના વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે.
હેમરાજભાઇ રામજીભાઇ પાડલીયાની નિમણુંક ગુજરાત રાજય પંચાયતી રાજના યશસ્વી કન્વીનર પદે કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાંથી ઋષિ વંશી સમાજ સેવા સંઘ પરિવાર હર્ષ આનંદ છવાયો છે. ભાજપા બક્ષીપંચ મોરચા સામાજીક સંકલન સેલના કન્વીનર પદને શોભાવતા કાર્યો થકી શુભેચ્છાની ભરમાર થઇ રહી છે.
તેઓ સમાજ સાથે અનેક સેવાકિય સંસ્થાઓ મંડળો તેમજ પક્ષના વિવિધ મંત્રીઓ સાંસદો ધારાસભ્યો તેમજ હોદેદારો સંતો મહંતો તેમજ ધાર્મિક મંદિરોના ગાદી પતીઓ તેમજ જૈન આચાર્યોના શુભ આશિષ મેળવી રહ્યા છે.