ગુજરાત
News of Sunday, 5th July 2020

આજે ગાંધીનગરમાં ભરતી પ્રશ્ને તમામ ભરતી બોર્ડના અધિકારીઓની મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક મળી : આંદોલન છાવણી આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે : તકેદારીના એડવાન્સ પગલા લેવાયા

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા કેટલાક સમયથી ભરતી બંધ રહ્યા બાદ કોરોનાને કારણે અનેક કેટેગરીની કચેરી દ્વારા આવેલ જાહેરાતો બાદ ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી ત્યાર બાદ બેરોજગારોમાં ભરતી પ્રશ્ને માંગણી અને આંદોલનો ચાલુ થતા તાકીદે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભરતી અંગે સંવેદનશીલ નિર્ણય લેવા માટે આજે સવારે ગાંધીનગરના નિવાસ સ્થાને ભરતી બોર્ડના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે. ત્યારે કોઇ હકારાત્મક નિર્ણય લેવાશે તેવું પણ બહાર આવેલ છે.

(3:12 pm IST)