વડોદરાના વાઘોડિયા રોડ નજીક રાત્રી કર્ફ્યુ દરમ્યાન નિંદ્રાધીન પરિવારના ઘરને નિશાન બનાવી તસ્કરોએ 1.50 લાખની કિંમતની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ
વડોદરા:શહેરના વાઘોડિયા રોડ ઉપર રાત્રી કર્ફ્યુ દરમિયાન નિંદ્રાધીન પરિવારના ઘરે ત્રાટકેલા તસ્કરો 1.50 લાખની કિંમત ધરાવતા સોના ચાંદીના ઘરેણા ચોરી નાસી છૂટયા હોવાનો બનાવ બાપોદ પોલીસ મથકે નોંધાયો છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર પ્રભાત બસ સ્ટેન્ડ પાસે આવેલી અમીધારા સોસાયટીમાં રહેતા આલોક કુમાર રાવલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પહેલી જૂનના રોજ પરિવાર ઉપલા માળે સૂતો હતો તે દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
તપાસ દરમિયાન તિજોરીના લોકરમાંથી રૂપિયા 1.52 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાની ચોરી થઇ હોવાનું સપાટી પર આવ્યું હતું બનાવ સંદર્ભે બાપોદ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.