ગુજરાત
News of Tuesday, 5th June 2018

નડિયાદ-પેટલાદ રોડ નજીક અકસ્માતના જુદા-જુદા બે બનાવમાં એકનું મોત: ત્રણ ઈજાગ્રસ્ત

નડિયાદ:નડિયાદ-પેટલાદ રોડ ઉપર સંતરામ ફર્નિચર પાસે તેમજ પીપળાતા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ જણાંને ઈજા થઈ હતી જ્યારે એક ઈસમનું મોત નિપજ્યું હતું.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદના બીલોદરા પાસે આવેલા કર્મવીરનગરમાં રહેતા વિજયભાઈ ઠાકોરભાઈ ઠક્કર ગત તા.૨૮-૫-૧૮ની સાંજે પીયાગો રીક્ષા નં. જીજે-૦૭ ડબલ્યુ ૪૮૯૫માં મુસાફર ભરી પીપલગ રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે સંતરામ ફર્નિચર નજીર પૂરપાટે ઝડપે આવતી લોડીંગ ટેમ્પી નં. જીજે-૦૭ એટી-૨૯૧૬એ પીયાગો રીક્ષાને ટક્કર મારતા રીક્ષામાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી. આ બનાવ અંગે વિજયકુમાર ઠાકોરભાઈ ઠક્કરની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અકસ્માતનો બીજો બનાવ પીપળાતા-ડુમરાલ રોડ ઉપર સર્જાયો હતો. જેમાં ગઈકાલે સાંજે ડુમરાલમાં રહેતા ઉદેસિંહ રમેશભાઈ જાદવ ટ્રેક્ટર નં.જીજે -૦૭ બીએ-૧૫૭૦માં માટી ભરીને પસાર થઈ રહ્યા ત્યારે સામેથી આવતા ટ્રેક્ટર નં. જીજે-૦૭ બીએ-૪૭૬૯ ધડાકાભેર માટી ભરેલ ટ્રેક્ટર સાથે અથડાતા રોડની સાઈડ ઉપર ઉતરી જતા ઉદેસિંહ રમેશભાઈ જાદવનુ ં ટ્રેક્ટરમાંથી ફંગોળાઈ જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જયંતિભાઈ છોટાભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:45 pm IST)