News of Tuesday, 5th June 2018
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસઃ ડી.જી. વણઝારા સામે કોઈ ગુન્હો સાબિત થાય તેવી ભૂમિકા નથીઃ વકીલની રજૂઆત
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ડી.જી. વણઝારાની ડીસ્ચાર્જ અરજી ઉપર વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં સાક્ષીઓના નિવેદનો કોર્ટમાં રજુ કર્યા બાદ જણાવ્યુ હતુ કે, ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે એન્કાઉન્ટર થયા છે, આરોપીઓને સાક્ષી બનાવ્યા છે જેથી ચાર્જશીટની વિશ્વસનીયતા પૂર્ણ થાય છે. ડી.જી. વણઝારા સામે કોઈ ગુન્હો સાબિત થાય તેવી કોઈ ભૂમિકા નથી. વધુ સુનાવણી ૧૫મીએ હાથ ધરાશે
(4:54 pm IST)