ગુજરાત
News of Friday, 5th March 2021

જૂનાગઢના પૂર્વ સાંસદ - કેબિનેટ મંત્રી મોહનભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. પ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે જૂનાગઢના પૂર્વ સાંસદ, ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને અગ્રણી શિક્ષણવિદ્ મોહનભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવીને પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

તેમણે કહ્યું હતું કે, કડવા પટેલ સમાજના મોભી, દીર્ઘદૃષ્ટા અને શિક્ષણવિદ્ અને મો. લા. પટેલથી ઓળખાતા મોહનભાઈ પટેલના અવસાનથી સમાજ – રાજ્યને મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના.

(4:50 pm IST)