રાજપીપળા કસ્બાવાડમાં જર્જરિત મકાન ઉતારવાનું કામ કરતા મજુરનું દીવાલ ધસી પડતાં મોત
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાનાં કસ્બાવાડ વિસ્તારમાં મકાન પાડવાનું કામ કરતા એક મજૂરનું દીવાલ નીચે દબાઈ જતા મોત થયું છે
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કેતનભાઇ દિનેશભાઇ વસાવા (ઉ.વ.૧૮) (રહે.ઉપલુ ફળીયુ,ગાડીત તા.નાંદોદ જી.નર્મદા) નાઓ રાજપીપલા કસ્બાવાડમાં રહેતા વારીસભાઇ ગુલામનબી કુરેશીના જુના જર્જરીત મકાન પાડવાનું મજુરી કામ ચાલતુ હતુ એ જગ્યાએ મજુરી કામ માટે આવેલા તે વખતે એ દિવાલ પાસે ઇંટો સાફ કરવાનુ કામ કરતો હતો ત્યારે અચાનક ઘરની જુની દિવાલ ઘસી પડતા કેતનભાઇ વસાવા દિવાલ નિચે દબાઇ જતા શરીરે માથાના તથા છાતીના ભાગે દીવાલ નીચે દબાઇ જતા ઇજાઓ થતા સાથેના મજુરોએ દિવાલ નીચેથી કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સમાં રાજપીપલા સરકારી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.