ખેડામાં મંદિર નજીક પાર્ક કરેલ રિક્ષાની ચોરીથી લોકોમાં ભયનો માહોલ
ખેડા: ગામમાં બાલાપીર ભાગોળમાં આવેલ પ્રણામી મંદિરના ખાંચામાં રહેતાં અને પિયાગો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરતાં સંદિપસિંહ ગોપાલભાઈ ઝાલા ગત તારીખ ૨૭ ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પોતાની પિયાગો રીક્ષા નં જીજે ૦૭ એટી ૨૫૦૩ ને પોતાના ઘર બહાર મુકી હતી.
તે દરમિયાન તારીખ ૨૭ ડિસેમ્બરે રાત્રિના ૧૦-૩૦ વાગ્યાથી લઈ તારીખ ૨૮ ડિસેમ્બરે સવારે ૬ વાગ્યાના સમયગાળા દરમિયાન સંદિપસિંહે પાર્ક કરેલી પિયાગો રીક્ષા કોઈ અજાણ્યો વાહન ચોર ચોરી કરી ગયો હતો. પિયાગો ચોરી થયા હોવાની જાણ સંદિપસિંહને વહેલી સવારે થતાં તેઓએ પિયાગો રીક્ષાની શોધખોળ હાથ ધરી હતી. જો કે એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં ચોરી થયેલ પિયાગો રીક્ષાની કોઈ ભાળ ના મળતાં આખરે સંદિપસિંહે ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.