2022માં ગુજરાતમાં કોંગ્રેસનું નિશ્ચિત સાશન આવશે :રાજીવ સાતવ
ભાજપના છેલ્લા 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર:કોંગ્રેસમાં કોઈ જૂથબંધી કે નારાજગી નથી ;લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ
અમદાવાદ : અમદાવાદ આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવએ મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે કોંગ્રેસમાં કોઈ જ જૂથબંધી કે નારાજગી નથી. આગામી લોકસભાની ચૂંટણી લડવા કોંગ્રેસ સંપૂર્ણપણે સજ્જ છે.
:રાજીવ સાતવએ કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતે જાતે જાહેરમાં સ્વીકારી રહ્યા છે કે રેવન્યુ અને ગૃહ ખાતામાં ભારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં ભાજપના છેલ્લા 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, હાલમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ચૂંટણીને લઇને જબરજસ્ત ઉત્સાહ રહ્યો છે જેથી 2022 ગુજરાતમાં કોંગ્રેસનું નિશ્ચિત પણે શાસન આવશે.
રાજીવ સાતવેં કહ્યું કે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર કોંગ્રેસ લડત આપશે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ માટે ચોકાવનારા પરિણામો આવશે