વડોદરામાં:દારૂની પોટલી બાંધવા પરિણીતાને મજબુર કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
વડોદરા: શહેરનાવાઘોડિયારોડ કલાદર્શન ચાર રસ્તા પાસે મધુનગરમાં રહેતા કાજલબેન રાજીવભાઇ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા લગ્ન તા.૧૯-૦૫-૨૦૧૯ ના રોજ રાજીવ ભીખાભાઇ કહાર (રહે.માળી મહોલ્લો,આજવારોડ) સાથે થયા હતા.લગ્નના બે મહિના પછી મારા પતિ રાજીવ ઉર્ફે ગણેશ,જેઠાણી સોનલ,નણંદ અનિતા તથા નણંદોઇ વિજય પરદેશી દ્વારા એવું જણાવીને ત્રાસ ગુજારવામાં આવતો હતો કે,લગ્નમાં ઓછુ દહેજ આપ્યું છે.પિયરમાંથી દહેજ પેટે પાંચ લાખ તથા સોના ચાંદીના દાગીના લઇ આવવાનું કહીને ત્રાસ ગુજારવામાં આવતો હતો.મને દારૃની પોટલીઓ બાંધવા માટે કહેતા હતા.હું ના પાડું તો મને ગાળો બોલતા હતા.મને સંતાનમા છોકરી થતા તે અંગે પણ સાસરીવાળા મને મ્હેણા ટોણા મારતા હતા.હું બીમાર પડું તો પણ મને સારવારના રૃપિયા આપતા નહતા.મારે પિયરમાંથી રૃપિયા લાવવાની ફરજ પડતી હતી.હું દિવાળી કરવા મારા ભાઇના ઘરે ગઇ હતી.મારા પર શંકા કરીને રાતે એક વાગ્યે મારા પતિ ઘરે આવ્યા હતા.મારા પતિ મને તથા મારા ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતા રહ્યા હતા.